ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Saturday, January 31, 2015

"મુખ્યમંત્રી અમૄતમ વાત્સલ્ય યોજના"


"મુખ્યમંત્રી અમૄતમ વાત્સલ્ય યોજના"

1 : અરજદાર નો પૂરૂ નામ, સરનામુ અને નંબર લખવો.

2 : ત્રણ રુપિયા ની ટિકિટ લગાવવી

3 : બનને ફોમઁ માં અરજદાર નો એક એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવવો.

4 : અરજદાર ની વાષિઁક આવક સરકારી રેકોર્ડ માં 1, 20, 000 થી વધારે હોવી જોઈએ નહી.

5 : અરજદાર નો દીકરો 21 વષઁથી વધારે ઊંમર નો હોવો જોઇએ નહીં, અને જો હોય તો તેનુ અને તેના પરીવાર નુ અલગ ફોમઁ ભરવુ.

6 : ફોમઁ માં કુટુંબ ના બધા સભ્યોના નામ, ઊંમર, ધંધો, વાષિઁક આવક લખવી.

7 : બે સાક્ષી ના નામ, ઊંમર, ધંધો, રહેઠાણ અને સહી કરાવવી.

8 : પોતાના ગામના તલાટી કમ મંત્રી શ્રી ના સહીસિક્કા કરવવા.

9 : નીચે મુજબ ના પુરાવાઓ રજૂ કરવા
- લાઇટ બીલ ની ઝેરોક્ષ
- ચુંટણી કાડઁ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- બે ફોટા

નોધ : ઝેરોક્ષ ઊપર અરજદારે સહી કરવી.

10 : બનને ફોમઁ માં જ્યા અરજદાર ની સહી લખી હોય ત્યા સહી કરવી.

11 : વધુ માહિતી પોતાના ગામના તલાટી પાસેથી મેળવવી.

12 : આ યોજના બાબતે તલાટી તથા મામલતદારની જરુર પડે તો તમામ માહિતી માટે તેમનો સંપકઁ કરવો.

13 : ફોમઁ ભરી તલાટી ને જમા કરાવ્યા બાદ અરજદાર ને આવક નો દાખલો તલાટી આપશે.

14 : આ આવક નો દાખલો મામલતદાર કચેરી નો સમય લઇ અરજદારે ફોમઁ માં લખેલા તમામ સભ્યો લઇ ને કચેરીમાં અધિકારી પાસે ફીગર તથા ફોટા પાડવામાં આવશે.એટલે અરજદાર ની તમામ પ્રક્રિયા પૂરી થઇ જાય છે.

15 : આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ યોજના નુ કાડઁ અરજદાર ના સરનામા ઊપર પોસ્ટ ધ્વારા આવશે.કાડઁ આવવામા એનાથી વધારે સમય થાય તો પોતાના ગામ ના તલાટી અથવા પોતાના મામલતદારશ્રી નો સંપકઁ કરી પોતાનુ કાડઁ રુબરુ માં જઇ મેળવી લેવુ.

16 : આ કાડઁ માટેની તમામ પ્રક્રિયા માં અરજદાર ને પૂરતી મદદ કરવા માટે જે તે જવાબદાર સરકારી અધિકારી બંધાયેલ છે.

17 : આ યોજના આજીવન છે.અરજદારે આ યોજના માં પરીવાર ના દરેક એક સભ્ય દીઠ 2, 00, 000 રુપિયા નો ખચઁ કોઇ પણ બીમારી હોય તો આ કાડઁ હોસ્પિટલમાં બતાવી દાખલ થવુ.દરેક વ્યકતી ને એક વષઁ નો 2, 00, 000 સુધીનો ખચઁ આ યોજના અંતગર્ત જે તે હોસ્પિટલ ને  ગુજરાત સરકાર ચૂકવશે
.
નોધ : આ યોજના નો કુટુંબ ના દરેક સભ્ય ને ગુજરાત સરકાર ધ્વારા મફત લાભ મળશે.


Posted by Sandip Chaudhari

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...