ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Wednesday, February 4, 2015

TALATI CUM MANTRI BHARTI COMING SOON...


પંચાયતોમાં તલાટીઓની અછત ઓછી થશેઃ ૨૪૪૦ ભરતી માટે મંજુરી
ત્રણ મહિનામા ભરતી પ્રક્રિયા પૂરી કરી નિમણૂકો આપવાનો પ્રયાસઃ મંત્રી કવાડિયા

��ગુજરાત સરકાર દ્વારા પંચાયત ક્ષેત્રના તલાટી મંત્રીઓની ખાલી જગ્‍યા ભરવા દરેક જિલ્લા પંચાયતમાંથી વિગતો માગવામાં આવેલ. તેના આધારે ૨૪૪૦ નવા તલાટીઓની ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ પરીક્ષા લેવા સહિતની ભરતી પ્રક્રિયા શરૂ થશે. નજીકના દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થનાર જાહેરાતમાં ઉમેદવારની લાયકાત અને પરીક્ષા પદ્ધતિ સહિતની વિગતો દર્શાવવામાં આવશે. નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગાર અને ત્‍યાર પછી પુરો પગાર આપવામાં આવશે.
પંચાયત ક્ષેત્રે તલાટીઓની મોટી ઘટ નિવારવા સરકારે ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. પંચાયત ક્ષેત્રે એક સાથે આટલી મોટી (૨૪૪૦) તલાટીઓની ભરતી પ્રક્રિયા થાય તેવુ પ્રથમ વખત બનશે. પંચાયતોમાં તલાટીઓની ખેંચમા રાહત થશે અને ૨૪૪૦ યુવકોને સરકારી નોકરી દ્વારા રોજગારીની તક મળશે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી સંખ્‍યા જોતા ૨૪૪૦ જગ્‍યા માટે લાખો ઉમેદવારો અરજી કરે તેવી ધારણા છે.
દરમ્‍યાન પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવેલ કે, ઘરે ઘરે શૌચાલય સહિતની ગ્રામ વિકાસની મહત્‍વની કામગીરીમાં તલાટીઓની પાયાની ભૂમિકા રહે છે. તલાટીઓની ખેંચ નિવારવા અને હાલના તલાટીઓનું કાર્યભારણ ઘટાડવા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા નાણામંત્રી શ્રી સૌરભ પટેલે પંચાયત વિભાગને ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. ટૂંક સમયમાં પારદર્શક પદ્ધતિથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. ૩ મહિનામાં નવા તલાટીઓને નિમણૂક આપી.

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...