વિનોબા ભાવે
જન્મતિથી:૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫
નિધન:૧૫મી નવેમ્બર, ૧૯૮૨
જન્મસ્થાન:ગાગોડે, મહારાષ્ટ્ર
આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોડે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. ઈદિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટી (આપાતકાળ)ને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.
જીવન પરિચય
ચિત્ર:Vinoba stamp.jpg
વિનોબાજીની સ્મૃતિમાં બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ
મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિતપાવન બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે ગણિતના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા રસાયણ વિજ્ઞાનમાં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી. મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું, તો ક્યારેક વધારે. ક્યારેક દાળના વઘારમાં હીંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. જેના કારણે આ પ્રકારની નાની-મોટી વાતો પ્રત્યે કોઈનું ધ્યાન જ ન જતું હતું. આવા સાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૫ના દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી. વિનોબા ઉપરાંત રુક્મિણી બાઈને બે અન્ય પુત્રો હતા. વાલ્કોબા અને શિવાજી. વિનાયક કરતાં વાલ્કોબા નાના હતા, જ્યારે શિવાજી સૌથી નાના હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, તેના અનુસાર. તુકોબા, વિઠોબા અને વિનોબા.
માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા-પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસતી, ચુપચાપ ખાઈ લેતા. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝ-બૂઝ તથા તર્ક-સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી.
- Home
- 2 થી 8 ની કવિતાઓ
- મોટીવેશનલ વિડ્યો
- શાળા ઉપયોગી ફાઈલ
- ccc
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ
- E-Books
- ગણિતના વિડ્યો
- પ્રેઝન્ટેશન
- સાયન્સ વિડ્યો
- ધોરણ ૧ થી ૫
- મારી શાળા
- ગણિત વિજ્ઞાન મંડળ
- સામાજિક વિજ્ઞાન
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગુજરાતી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- હિન્દી
- ડાયસ-આધાર
- બાળમેળો
- શાળાની ભૌતિક સુવિધાઓ
- ગણિત
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- એડપ્ટસ- ઇકો કલબ
- GOVT. SERVICES
- પ્રવૃતિઓના ફોટાગ્રાફ્સ
ચાલતી પટ્ટી
ચાલતી પટ્ટી
Thursday, September 10, 2015
વિનોબા ભાવ -૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫
Subscribe to:
Post Comments (Atom)
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
વહાલા વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રો... આપની સમક્ષ આ ઓનલાઈન ટેસ્ટ મુકતા હું હર્ષની લાગણી અનુભવું છું.આશા છે કે આપ આ ટેસ્ટ થકી આપના જ્...
-
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, ...
-
New Masik Aayojan 2018 - Create By Nandini Prakashan To Download Click Hear
No comments:
Post a Comment