ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Sunday, August 9, 2015

૧૫ ઓગષ્ટ (આઝાદી દિન) સ્પેશિયલ

૧૫ ઓગષ્ટ(આઝાદી દિન) સ્પેશિયલ

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.


- આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.

- માર્ક ટ્વેન


જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે

- ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ


૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.

- હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)



નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. 'નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ 'નેવિગેશન' પોતે પણ સંસ્કૃત શબ્દ 'નવગતિ' પરથી બનાવવામાં આવ્યો છે.

આભાર....     વિકાશભાઈ નાયક સાહેબશ્રી(http://internetcornerguj.blogspot.in)

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...